- ભારતથી આવતા પ્રવાસીઓ શ્રીલંકાના કુલ વિદેશી પ્રવાસીઓના આશરે 23 ટકા, 2026માં 30 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો લક્ષ્યાંક
સુરત, 10 જૂન 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB) મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી 15 જૂન 2026ના રોજ સુરતમાં એક વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડશો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ ઉદ્યોગ સાથેના સંબંધોને મજબૂત બનાવવાનો અને શ્રીલંકાને એક પસંદગીના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવાનો છે.
તાજેતરના વર્ષોમાં ગુજરાત, ખાસ કરીને સુરત, આંતરરાષ્ટ્રીય પ્રવાસન માટે ઝડપથી ઊભરી રહેલા બજાર તરીકે સામે આવ્યું છે. અહીં પરિવારો, યુવાનો અને કોર્પોરેટ પ્રવાસીઓ વચ્ચે વિદેશ પ્રવાસ, ડેસ્ટિનેશન વેડિંગ, લક્ઝરી વેકેશન અને MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સિસ એન્ડ એક્ઝિબિશન્સ) ટૂરિઝમની માંગ સતત વધી રહી છે. આ જ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ટૂરિઝમ આ ક્ષેત્રમાં પોતાની પહોંચ અને ભાગીદારીનો વિસ્તાર કરી રહ્યું છે.
વર્ષ 2025 શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્ર માટે એક રેકોર્ડ બ્રેક વર્ષ સાબિત થયું. દેશમાં 23 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પહોંચ્યા, જેમાં ભારત સૌથી મોટું સોર્સ માર્કેટ (સ્ત્રોત બજાર) રહ્યું. ભારતથી 5.31 લાખથી વધુ પ્રવાસીઓ શ્રીલંકા ગયા, જે કુલ વિદેશી પ્રવાસીઓના આશરે 23 ટકા છે. આ જ ઉત્સાહજનક પ્રદર્શનના આધારે શ્રીલંકામાં વર્ષ 2026માં 30 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સુરતમાં યોજાનારા આ રોડશોમાં શ્રીલંકાના અગ્રણી હોટેલ જૂથો, રિસોર્ટ્સ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ, પ્રવાસન સેવા પ્રદાતાઓ અને પ્રવાસન આકર્ષણ કેન્દ્રો ભાગ લેશે. તેઓને દક્ષિણ ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, MICE પ્લાનર્સ, કોર્પોરેટ ટ્રાવેલ બાયર્સ, મીડિયા પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે સીધા જોડાવાની તક મળશે.
કાર્યક્રમ દરમિયાન બિઝનેસ-ટુ-બિઝનેસ નેટવર્કિંગ, ડેસ્ટિનેશન પ્રેઝન્ટેશન, વન-ટુ-વન બાયર-સેલર મીટિંગ્સ, મીડિયા ઇન્ટરેક્શન, શ્રીલંકન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, નેટવર્કિંગ ડિનરની સાથે-સાથે આકર્ષક લકી ડ્રો અને ભેટ સોગાદોનું પણ આયોજન કરવામાં આવશે.
શ્રીલંકા ટૂરિઝમના અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતનું મજબૂત અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રત્યે વધતી જતી રુચિ તેને તેમના માટે એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે. ભારતથી ઓછું અંતર, સરળ કનેક્ટિવિટી, સુંદર દરિયા કિનારા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વન્યજીવ પ્રવાસન, વેલનેસ અનુભવો અને એડવેન્ચર પ્રવૃત્તિઓ શ્રીલંકાને ભારતીય પ્રવાસીઓ માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.
શ્રીલંકા ટૂરિઝમને આશા છે કે સુરત રોડશોથી નવા વ્યાપારિક અવસરો ઊભા થશે, ટ્રાવેલ ઉદ્યોગ વચ્ચે સહયોગ વધશે અને આગામી સમયમાં દક્ષિણ ગુજરાતથી શ્રીલંકા જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો જોવા મળશે.

